Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

‘ભગવાન બિરસા મુંડાજીના જીવન – કવન’વિષય પર વકતૃત્વ સ્પર્ધા

11/11/2025
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ રૂમ નંબર ૧૭

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજમાંસર્જનાત્મકઅભિવ્યક્તિધારા(સપ્તધારા) દ્વારા તારીખ:- ૧૦/૧૧/૨૦૨૫, સોમવારના રોજ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતિ "જન જાતીય ગૌરવ વર્ષ" મહોત્સવના ભાગ રૂપે ‘ભગવાન બિરસા મુંડાજીના જીવન – કવન’વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલશ્રી ડૉ. પરેશ રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ. કિરણબેન ડોડીયા, ડૉ. કિરણ વાડોદરિયાએ કર્યું હતું. જેમાં ૦૪ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. જેઓએ ભગવાન બિરસા મુંડાજીના જીવન - કવન પરસુંદર અભિવ્યક્તિ કરેલ.આ કાર્યક્રમ અંતર્ગત નિર્ણાયક તરીકેની ભૂમિકા ડૉ. સંજય ચાવડા અને ડો. ઇકરામ અન્સારી દ્વારા ભજવવામાં આવેલ. આ કૉલેજના તમામ અધ્યાપકો અને વહીવટી સ્ટાફના સહયોગ અને વિદ્યાર્થીઓની હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૩ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વકતૃત્વસ્પર્ધા કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ક્રમ ખાણદર હર્ષિદા કેશુભાઈ, દ્વિતીય ક્રમ ગોહિલ ક્રિષ્ના દડુભાઈ, તૃતીય ક્રમ મકવાણા પૂરી હસમુખભાઈએ મેળવેલ હતો.