માતૃભાષા દિવસ સંદર્ભે વ્યાખ્યાન
21/02/2025
Rajkot
તારીખ 21/02/2025 ના રોજ ડો. સુભાષ મહિલા આહિર કોલેજ, પરાપીપળીયા, રાજકોટ મુકામે માતૃભાષા દિવસ સંદર્ભે વિશેષ વ્યાખ્યાનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટના સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હંસાબેન બી. ગુજરીયાએ "માતૃભાષાની જાળવણી માટે આપણું ઉત્તરદાયિત્વ" વિષય પર વ્યાખ્યાન આપેલ હતું.વિદ્યાર્થીની બહેનો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરી, માતૃભાષાનું મહત્વ, માતૃભાષાની જરૂરત અને માતૃભાષાની ઉપયોગીતા આ વિષય સંદર્ભે વ્યાખ્યાનમાં ડો. ગુજરીયાએ પોતાના વિચારો વ્યક્ત કરી માતૃભાષા ની જાળવણી સંદર્ભે આપણા તરફથી કરવાના પ્રયત્નો વિશે આવાહન કર્યું હતું.