વ્યાખ્યાન: સપ્તધારા- જ્ઞાનધારા: 2024-25
12/02/2025
Dharmendrasinhji Arts College, Rajkor
આજ રોજ તા. ૧૨/૦૨/૨૦૨૫ બુધવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારા અન્વયે “સપ્ત્ધારા અંગે વિશેષ વક્તવ્ય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે શીઘ્ર પ્રશ્નોત્તરી સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિશેષ અતિથિ પ્રિન્સીપાલ ડો. મેહુલ સોલાની સાહેબનું વક્તવ્ય રાખવામાં આવેલ. જેમાં તેઓશ્રી એ વિદ્યાર્થીઓને જીવનમાં સફળતાનું મહત્વ તેમજ વિદ્યાર્થીઓના સંદર્ભે સપ્ત્ધારાનું મહત્વ વિષે સમજણ આપેલ જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રતિભાગી બની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે જાણકારી મેળવી તેમજ પ્રશ્નોત્તરીમાં ભાગ લીધેલ હતો. સંપૂર્ણ આયોજન આચાર્યશ્રી ડો. પરેશ એન. રાવલના માર્ગદર્શન હેઠળ સપ્તધારાના અધ્યક્ષ ડો. મહેશ્વરી રવિયા અને સહ- અધ્યક્ષ ડો. હંસાબેન ગુજરિયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ સાથે જ ડૉ. હંસા ગુજરીયા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ. જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ. કેતન બુંહા અને સહ- અધ્યક્ષ હિનાબેન દ્વારા કાર્યક્રમને સહયોગી બન્યા. કાર્યક્રમ સુપેરે પૂર્ણ થયો. દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ. સમગ્ર કૉલેજ પરિવારનો સહકાર રહ્યો.