આત્મહત્યા નિવારણ દિવસ (10 સપ્ટેમ્બર) કાર્યક્રમ અહેવાલ તારીખ 16-09-2023
16/09/2023
સેમિનાર હોલ
તારીખ 10 સપ્ટેમ્બરનાં રોજ આત્મહત્યા નિવારણ દિવસ હોવાથી મનોવિજ્ઞાન વિભાગ દ્વારા તારીખ 16-09-2023 ને શનિવારના રોજ આ અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેને અનુલક્ષીને આ કોલેજનાં સેમીનાર હોલમાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા નિવારણ દિવસ શા માટે અને ક્યારથી ઉજવવામાં આવે છે? આત્મહત્યાનું મનોવિજ્ઞાન શું છે? આત્મહત્યા કરનાર વ્યક્તિમાં અગાઉ કેવા લક્ષણો દેખાય છે? તેને તમે કઈ રીતે ઓળખી શકો? તેને આત્મહત્યા કરતાં કઈ રીતે રોકી શકાય? તેની કઈ રીતે મદદ કરી શકાય? માનસિક રોગો,ખાસ કરીને ડીપ્રેશન અને આત્મહત્યા વચ્ચેનો સંબંધ તથા આત્મહત્યા વિશેની છેલ્લા પાંચ વર્ષની આંકડાકીય માહિતી વગેરે મુદ્દાઓની છણાવટ કરવામાં આવેલ.જેથી વિદ્યાર્થીઓ આ બાબતને બરાબર સમજી શકે. જાગૃત થાય તેમજ આવી વ્યક્તિ પોતાની આસપાસ હોય તો ઓળખી શકે અને મદદ કરી શકે. આ કાર્યક્રમમાં મણીયાર ખુશી, નિમાવત ધારા, સોલંકી ધવલ,ચાવડા માલતી, ઝાલા અપેક્ષા, ગઢવી આર્યન વગેરે વિદ્યાર્થીઓએ આત્મહત્યા વિષે માહિતીસભર વક્તવ્ય આપેલ તેમજ હિન્દી વિભાગનાં અધ્યક્ષ ડૉ.હેમલ વ્યાસ તથા ગુજરાતી વિષયનાં અધ્યક્ષ ડૉ.જીજ્ઞેશ ઉપાધ્યાય દ્વારા પણ આ વિષય અંગે વાત કરવામાં આવેલ.મનોવિજ્ઞાન વિષયનાં મુલાકાતી અધ્યાપક ડૉ.વંદના શર્માએ પણ વિષયને અનુલક્ષીને સંબોધન કરેલ.સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મનોવિજ્ઞાન વિષયનાં અધ્યક્ષ ડૉ.જાગૃતિ વ્યાસ દ્વારા કરવામાં આવેલ.