Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Elocution Competition (Voters day 25 Jan 2020)

05/02/2020
Dharmendrasinhji Arts College Rajkot

મતદાતા દિવસ(૨૫/૦૧/૨૦૨૦) નિમિત્તે વકતૃત્વસ્પર્ધા, ચિત્રસ્પર્ધા અને એમ.સી.કયુ. ટેસ્ટનુ આયોજન કરીને મતદાતા દિવસે કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ ઉભો થયો હતો. જેમાં સંસ્કૃત વિભાગના પ્રા. ગિરીશ પી.જાદવ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત આચાર્યશ્રી એ.એસ.રાઠોડ સાહેબના શાબ્દિક ઉદબોધન દ્વારા કરવામાં આવી હતી. આ સ્પર્ધાના વિષયો આ પ્રમાણેના હતા.(૧) રાષ્ટ્રનિર્માણમાં મતદારોનું યોગદાન (૨) વર્તમાન સમયમાં મતદારોની મુંઝવણ અને તેના ઉકેલો (૩) મતાધિકારનું મહત્વ. આ વકતૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રા. રિતેષ પટેલ સાહેબ, પ્રા. હાર્દિક ગોહિલ તથા પ્રા. ગિરીશ જાદવે નિભાવી હતી. સ્પર્ધાના વિજેતાઓનું પરિણામ નિર્ણાયકશ્રીના સરેરાશ ગુણના આધારે જાહેર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ પ્રા. રિતેશ પટેલ સાહેબે કરી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહે આ સ્પર્ધાને સફળ બનાવી હતી.