Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

જ્ઞાનધારા દ્વારા આયોજિત વિવેકાનંદ જન્મ જયંતિનો અહેવાલ (2023-2024)

12/01/2024
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં તા.12/01/2024ને શુક્રવારના રોજ સેમિનાર હોલમાં બપોરે 02:00 વાગ્યે કૉલેજ કક્ષાએ જ્ઞાનધારા અંતર્ગત વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી આયોજન હાથ ધરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને દૃશ્ય-શ્રવણના માધ્યમ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવનનો પરિચય આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ.એચ.એમ.વ્યાસ દ્વારા પ્રસંગાનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ તકે ડૉ.જે.એચ.સારડાએ પણ પોતાના વિચારો રજૂ કાર્ય હતા. કાર્યક્રમની આભારવિધિ ગ્રંથપાલશ્રી એચ.પી.પરમાર દ્વારા કરવામાં આવી હતી. જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડા તથા ડૉ.એમ.આર.રવિયા અને શ્રીએચ.પી.પરમારે સ્ટાફમિત્રોની સહાયથી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એચ.એમ.વ્યાસની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડા તથા ડૉ.એમ.આર.રવિયા અને શ્રીએચ.પી.પરમારે કરેલ.