Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

જ્ઞાનધારા દ્વારા વસંત પંચમી નિમિત્તે નિબંધસ્પર્ધાનો અહેવાલ (2023-2024)

16/02/2024
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં તા.16/02/2024ને શુક્રવારના રોજ રૂમ નંબર 7માં બપોરે 12:00 વાગ્યે કૉલેજ કક્ષાએ જ્ઞાનધારા અંતર્ગત વસંત પંચમી પર્વના સંદર્ભે નિબંધસ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વસંત પંચમીના મહત્વ પર પોતાના વિચારો તથા અનુભવો વિશે મૌલિક તથા સર્જનાત્મક નિબંધલેખન કર્યું હતું. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ ક્રમે ચૌહાણ વિવેક લાલજીભાઈ (સેમ-6) દ્વિતીય ક્રમે બે વિદ્યાર્થી વારાગ્યા રાજેશ ડાયાભાઈ (સેમ-4) અને ઝાપડિયા કિરણ જયંતીભાઈ (સેમ-2) તથા તૃતીય ક્રમે પણ પરમાર અજય ભગવાનભાઈ (સેમ-2) અને યાદવ પ્રિયંકા રૂદાલભાઈ (સેમ-4)ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રસ્તુત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.એમ.આર.રવિયાએ ફરજ નિભાવેલ. આચાર્યશ્રી ડૉ.એચ.એમ.વ્યાસની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.એમ.આર.રવિયા તથા શ્રી એચ.પી.પરમારે કરેલ.