Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સંસ્કૃત વિભાગ દ્વારા ભગવદ્ગીતા ગ્રંથનું વિતરણ, ગીતા પાઠ અને વ્યાખ્યાન

23/12/2023
શ્રી રામેશ્વર મહાદેવ ખોડિયાર મંદિર ટ્રસ્ટ, લક્ષ્મીનગર, રાજકોટ

તા. 22/12/2023 ગીતા જયંતી નિમિત્તે કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા સમાજમાં મૂલ્યનું વર્ધન થાય અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉમદા રીતે વહન કરવાના હેતુથી બાળકો અને યુવાનોને ભગવદ્ગીતા ગ્રંથ વિતરિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું આયોજન RSS ની રાષ્ટ્ર સેવિકા સમિતિ "સત્યરેવા શાખા" અને ભારતીય શિક્ષણ મંડળ, ગુરુકુળ પ્રકલ્પ અંતર્ગત શ્રીરામેશ્વર મહાદેવ ખોડિયાર મંદિર ટ્રસ્ટ, લક્ષ્મીનગર, રાજકોટ ખાતે જાગૃતિબહેન દવે દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુરુકુલ પ્રકલ્પનાં સૌરાષ્ટ્ર પ્રાંતના અઘ્યક્ષ ડો. જગતભાઈ તેરૈયા દ્વારા ગીતા પાઠ અને ગીતા માહાત્મ્ય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું. ગુરુકુલ પ્રકલ્પનાં સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રીમતી બીના બહેન દેત્રોજાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગર કાર્યવાહીકા નીલાબેન મલકાણ, BSM ના સૌરાષ્ટ્ર કાર્યાલય પ્રમુખ ડો. પરેશભાઈ જોટાંગિયા તેમજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજનાં પ્રાધ્યાપિકા ડો. હંસાબેન ગુજરિયાની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં 150 જેટલા બહેનોએ ઉપસ્થિત રહી ગીતાજીના પાઠ કરી ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.