Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Geeta Jayanti

22/12/2023
Seminar Hall, Dh.College - Rajkot

તા.૨૧/૧૨/૨૦૨૩ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ખાતે પ્રિન્સિપાલ ડૉ. હેમલબહેન વ્યાસના માર્ગદર્શન અને સિનિયર પ્રાધ્યાપક ડૉ.જીગ્નેશ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં સંસ્કૃત તથા તત્ત્વજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભગવદ ગીતા જયંતી ઉજવણીનાં ઉપલક્ષ્યમાં કાર્યક્રમનુ આયોજન થયું. જેમાં કોલેજના ૭૫ વિદ્યાર્થીઓએ અને તમામ સ્ટાફ મિત્રોએ ભાગ લીધો હતો. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ જાડેજા ઋત્વિબા,ચૌહાણ વિવેક,શેલીયા અમૃત ,મહેતા નૈસર્ગી,ઇતિહાસ વિભાગના ઝાલા અપેક્ષાબા,સાંકળીયા કેવલ તેમજ તત્ત્વજ્ઞાન વિભાગના બામણીયા કરણ દ્વારા ભગવદ ગીતાનું જીવનમાં મહત્વ,ગીતા બોધ,ગીતાસંદેશ,ગીતાપરિચય,ગીતા દર્શનમાં બ્રહ્મવિદ્યા જેવા વિષયો ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સંસ્કૃત અને તત્વજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીના 15 મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશભાઈ કાછડીયા દ્વારા તેમજ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો.જગતભાઈ તેરૈયા દ્વારા ભગવદ ગીતાની પ્રાસંગિકતા વિશે ઉદ્બોબોધન આપવામાં આવ્યું હતું. કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો.જીગ્નેશ ઉપાધ્યાય સાહેબ દ્વારા પ્રસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના પ્રા. હંસાબેન ગુજરીયા દ્વારા કરવામાં આવેલું તત્વજ્ઞાન વિભાગનાં પ્રા.તૃપ્તિ ગજેરાએ પૂર્ણ સહયો આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બંને વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી .