Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

જ્ઞાનધારા (2023-2024) દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે નિબંધસ્પર્ધાનો અહેવાલ

26/08/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં તા.26/08/2023ને શનિવારના રોજ ઓડીટોરિયમમાં સવારે 10:30 વાગ્યે કૉલેજ કક્ષાએ જ્ઞાનધારા અંતર્ગત સ્વતંત્રતા પર્વના સંદર્ભે નિબંધસ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ (1) દેશપ્રેમ (2) મારી માટી મારો દેશ (3) દેશાભિમાની શહીદો (4) મારો પ્રિય ક્રાંતિકારી ઉપરોક્ત વિષય પર પોતાના વિચારો તથા અનુભવો વિશે મૌલિક તથા સર્જનાત્મક નિબંધલેખન કર્યું હતું. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ ક્રમે બે વિદ્યાર્થી રામોદિયા સુમૈયા એસ. (સેમ-5) અને ખસિયા પારુલ એસ. (સેમ-૩), દ્વિતીય ક્રમે પણ બે વિદ્યાર્થી ચૌહાણ હિતેન પી. (સેમ-5) અને તાલિયા પુની આર. (સેમ-1) તથા તૃતીય ક્રમે પણ હડિયા અનિરુદ્ધ ડી. (સેમ-1) અને ચૌહાણ વિવેક લાલજીભાઈ (સેમ-5)ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રસ્તુત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના ડૉ.જે.આર.તેરૈયા, અંગ્રેજી વિભાગના ડૉ.કે.ડી.દૈયા તથા હિન્દી વિભાગના ડૉ.આર.આર.ડેકાણીએ એ ફરજ નિભાવેલ. જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડા તથા ડૉ.એચ.બી.ગુજરિયાએ સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી સ્પર્ધા સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડા તથા ડૉ.એચ.બી.ગુજરિયાએ કરેલ.