Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Educational Tour - Sanskrit Department

22/08/2023
Mahatma Gandhi Museum - Rajkot

આજ રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ, સંસ્કૃત વિભાગ દ્વારા આચાર્ય શ્રી ડો. એ.એસ. રાઠોડની અનુમતિથી તેમજ સંસ્થાના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. જીગ્નેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું. જે અંતર્ગત વિદ્યાર્થીઓને રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ તેમજ વોટસન મ્યુઝિયમની મુલાકાતે લઈ જવામાં આવ્યા. સંસ્કૃત વિભાગના પંદરથી વધુ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના 60 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો આ મુલાકાતમાં જોડાયા. સવારે 10 વાગ્યે મ્યુઝિયમમાં પ્રવેશ લીધો અને લગભગ 39 જેટલા ખંડોમાં વહેંચાયેલ મહાત્મા ગાંધીજીના જીવનનું સંપૂર્ણ દર્શન કરી લગભગ ૨ વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓ બહાર આવ્યા. મહાત્મા ગાંધી પોતાના જીવનને જ પોતાનો સંદેશ ગણાવે છે અને ભગવદગીતાને તેઓ પોતાના જીવનથી આચરણમાં ચરિતાર્થ કરે છે. તેમના 11 મહાવ્રતોની સંપૂર્ણ ઝાંખી મ્યુઝિયમમાં વિદ્યાર્થીઓ સમક્ષ જાણે આબેહૂબ પ્રગટ થઈ. બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી વોટ્સન મ્યુઝિયમની મુલાકાત લેવામાં આવી આ મ્યુઝિયમ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે તેમજ અત્રે પ્રાગ્ ઐતિહાસિક સમયથી લઈ અને આઝાદી પૂર્વેના રજવાડાઓનાં સ્થાપત્યો, શિલાલેખો તેમજ અન્ય તમામ શૈક્ષિણક રીતે મહત્વ ધરાવતી સુંદર અને દુર્લભ વસ્તુઓનું અવલોકન કર્યું. આમ આ શૈક્ષણિક પ્રવાસ વાસ્તવિક રીતે સાર્થક રહ્યો. સંસ્કૃત વિભાગના HOD ડો. જે. આર. તેરૈયા તેમજ પ્રાધ્યાપિકા ડો. એચ. બી. ગુજરીયા સતત વિદ્યાર્થીઓ સાથે આ પ્રવાસમાં ઉપસ્થિત રહ્યા.