Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Guru Poornima Celebration

03/07/2023
Sanskrit Department Room No.18

આજ રોજ ૦૩/૦૭/૨૦૨૩ ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ ખાતે પ્રિન્સિપાલ શ્રી ડૉ. એ.એસ.રાઠોડ સાહેબના માર્ગદર્શનમાં ગુરૂપૂર્ણિમા કાર્યક્રમની ઉજવણી થઈ જેમાં કોલેજના સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓએ અને સ્ટાફ મિત્રોએ ભાગ લીધો હતો. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટના સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વ્યાસ પૂર્ણિમા હોવાથી શ્રીવેદ વ્યાસજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું, ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂગીતાના શ્લોકોનું ગાન કરવામાં આવ્યું. આ પ્રસંગે સેમ – ૬ નાં વિદ્યાર્થી ચૌહાણ વિવેક દ્વારા ગુરૂમાહાત્મ્ય વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમજ સેમ – ૧ નાં વિદ્યાર્થી શેલીયા અમૃત દ્વારા વ્યાસજીના સર્જન (કૃતિઓ) વેશે વિસ્તારથી વાત રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્કૃત વિભાગના અધ્યાપિકા ડો. હંસાબેન ગુજરિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. આમ ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણ જગતનો આ અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમ ભક્તિભાવ અને શ્રધ્ધાપૂર્વક ઉજવાયો હતો.