Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

કવિશ્રી મનોજ ખંડેરિયાની જન્મજયંતિની ઉજવણી (2023-2024)

07/07/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ દ્વારા તા.07/07/2023ને શુક્રવારના રોજ બપોરે 01:30 વાગ્યે રૂમ નં.-21માં કવિશ્રી મનોજ ખંડેરિયાની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મનોજ ખંડેરિયાનો જન્મ તા.06/07/1943ના રોજ જુનાગઢમાં થયેલો. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં એમના પ્રદાનને યાદ કરવા માટે, એમના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં ગુજરાતી ભાષા અને સાહિત્યના ગરવા કવિ મનોજ ખંડેરિયાની વિવિધ વિષય પરની ગઝલોનું ભાવવાહી પઠન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ ગઝલરૂપી પુષ્પો દ્વારા કવિશ્રીને શબ્દાંજલિ અર્પણ કરી હતી. પ્રસ્તુત કાર્યક્રમમાં વાઘેલા આરતી આર., બોળીયા વિક્રમ એસ., ઝાપડિયા વર્ષા કે., ચાવડા આરતી બી., રાણીંગા દિયા જે., જાડા પુરી એસ., ચાવડા માલતી કે., પરમાર બ્રિજેશ આર., ગોહિલ વિજય એચ., ભટ્ટ રાહુલ એ., ગોહિલ આરતી એમ., સાસુકિયા કિરણ એચ. વગેરે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન અને સુચન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવ્યું હતું.