Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

‘અંગદાન દિવસ’નો અહેવાલ (2022-2023)

17/09/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.17/09/2022ને શનિવારના રોજ સવારે 10:00 વાગ્યે કૉલેજના ઓડીટોરિયમ ખાતે ORGAN DONATION FOUNDATION, RAJKOT તથા પ્રસ્તુત કૉલેજના સયુંકત ઉપક્રમે ‘અંગદાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટના ખ્યાતિ પ્રાપ્ત ડૉ. દિવ્યેશભાઈ વિરોજા, ડૉ.ધવલભાઈ કોટડિયા, શ્રી નીતિનભાઈ ભાડલિયા તથા શ્રી ભાવનાબહેન મંડલી અને શ્રી જવાહરભાઈ રાયચંદાણી હાજર રહેલ. કાર્યક્રમની શરૂઆત ગુજરાતી વિભાગના ડૉ.એન.વી.જાનીએ સમૂહ પ્રાર્થના દ્વારા કરી હતી. બાદમાં કાર્યક્રમનો દોર શ્રી નીતિનભાઈ ભાડલિયાએ સંભાળેલ. કાર્યક્રમનું બીજરૂપ વક્તવ્ય ડૉ. દિવ્યેશભાઈ વિરોજાએ આપ્યું હતું. બાદમાં ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ પ્રસંગોચિત્ત ઉદબોધન કરેલ. ડૉ.એન.વી.જાનીએ પણ સમગ્ર કાર્યક્રમનો ચિતાર આપ્યો હતો. આ તકે શ્રી જવાહરભાઈ રાયચંદાણીએ હાજર રહીને દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો. બાદમાં કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાની તથા ડૉ.જે.એચ.સારડાએ કરેલ.