સ્વાસ્થ્ય સભાનતા
20/07/2019
RAJKOT
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.20/07/2019ને શનિવારના રોજ કૉલેજના ‘મહિલા સેલ’ સમિતિ અંતર્ગત કૉલેજના મહિલા પ્રાધ્યાપકશ્રીઓ તથા તમામ વિદ્યાર્થિની બહેનો માટે ‘સ્વાસ્થ્ય સભાનતા’ સંદર્ભે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં સુશ્રી ક્રિશ્નાબહેન પટેલ તથા નેહલબહેન પટેલ દ્વારા વિદ્યાર્થિની બહેનોને સ્ત્રીઓને લગતી વિવિધ શારીરિક સમસ્યાઓ જેવી કે માસિકધર્મ સમયની તકલીફો, ગોઠણનો દુઃખાવો, પગના તળિયાની બળતરા, માતૃત્વ ધારણમાં ઉભી થતી મુશ્કેલીઓ તથા તે સમયે રાખવી જોઈતી સાવચેતી વગેરે બાબતમાં સ્વસ્થ રહેવા, જાગૃતિ કેળવવા સૂચનો કરેલા તથા તે અંગે માર્ગદર્શક વ્યાખ્યાન આપેલ. આ કાર્યક્રમમાં કૉલેજના સર્વે મહિલા અધ્યાપકશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા સેલના અધ્યક્ષશ્રી પ્રો.ડૉ.હિતાર્થીબહેન જી. અગ્રાવતે કૉલેજના આચાર્યશ્રીના માર્ગદર્શન તથા સમિતિના સર્વે સભ્યશ્રીઓના સહકારથી સફળતાપૂર્વક પાર પાડેલ.