Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

હર ઘર તિરંગા સંદર્ભે રંગ, કલા કૌશલ્યધારા દ્વારા ચિત્ર સ્પર્ધા (2022-2023)

02/08/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યધારા સંદર્ભે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ‘હર ઘર તિરંગા’ સંદર્ભે તા.02/08/2022ને મંગળવારના રોજ બપોરે 01:30 થી 3:00 દરમિયાન રૂમ નં.-35માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ ચિત્ર સ્પર્ધામાં તિરંગાની થીમ પર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં કુલ દસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે ઝાપડિયા ચંદ્રેશ આર.(સેમ-5), દ્વિતીય ક્રમે બે વિદ્યાર્થી- ખાંડેકા આરતી પી.(સેમ-1) અને ઝાપડિયા વર્ષા કે.(સેમ-1), તેમજ તૃતીય ક્રમે પણ બે વિદ્યાર્થી ચૌહાણ વિવેક એલ.(સેમ-3) તેમજ સુવાગીયા આરઝૂ આર.(સેમ-1)ના નામ જાહેર કરવામાં આવેલ. આ સ્પર્ધામાં માનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ, હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ.એચ.એમ.વ્યાસ તેમજ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.એચ.બી.જગોદડીયાએ નિર્ણાયક તરીકે ફરજ નિભાવેલ. રંગ-કલા કૌશલ્યધારાના અધ્યક્ષ ડૉ.આર.બી.વાઝા તથા ડૉ.કેકે.એસ.વાડોદરિયાએ સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી સ્પર્ધા સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.આર.બી.વાઝા તથા ડૉ.કે.એસ.વાડોદરિયાએ કરેલ.