Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

હર ઘર તિરંગા અંતર્ગત જ્ઞાનધારા સંદર્ભે વકતૃત્વસ્પર્ધાનો અહેવાલ (2022-2023)

02/08/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારા દ્વારા હર ઘર તિરંગા સંદર્ભે તા.02/08/2022ને મંગળવારના રોજ ઓડીટોરિયમમાં બપોરે 02:00 વાગ્યા દરમિયાન વકતૃત્વસ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ‘તિરંગા’ને અનુલક્ષીને વક્તવ્ય આપેલ. તિરંગાની પરિકલ્પના, તેનો ઉદભવ, તેનો વિકાસ, તેનો ઈતિહાસ, રંગોનું મહત્વ, અશોકચક્રનું સ્થાન વગેરે વિશે વકતૃત્વ આપેલ. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલ આઠ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ, જેમાંથી પ્રથમ ક્રમે ચાવડા સુનિલ રમેશભાઈ (સેમ-1), દ્વિતીય ક્રમે બે વિદ્યાર્થી - દલ અરમાન સલીમભાઈ (સેમ-૩) અને માંડલિયા સાહિલ ઉદયભાઈ (સેમ-5) તથા તૃતીય ક્રમે ચૌહાણ સહદેવસિંહ દાનાજીભાઈ (સેમ-1)ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રસ્તુત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ.એચ.એમ.વ્યાસ તથા મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસે ફરજ નિભાવેલ. જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડા તથા ડૉ.આર.આર.ડેકાણીએ સ્ટાફમિત્રોની સહાયથી સ્પર્ધા સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડા તથા ડૉ.આર.આર.ડેકાણીએ કરેલ.