Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

‘આંતરરાષ્ટ્રીય પરમાણુ નિ:શસ્ત્રીકરણ દિવસ’

06/08/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટના સામુદાયિક સેવાધારા અને ઈતિહાસ વિભાગ દ્વારા તા.06/08/2021ને શુક્રવારના રોજ કૉલેજ કક્ષાએ ‘આંતરરાષ્ટ્રીય પરમાણુ નિ:શસ્ત્રીકરણ દિવસ’ જેને ‘હિરોશીમા દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ઉજવણી કરેલ હતી. જેમાં જાણીતા ઈતિહાસવિદ અને ઐતિહાસિક બાબતોના વિદ્વાન એવા ડૉ.જે.ડી.કણઝારિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ સામુદાયિક સેવાધારાનાં અધ્યક્ષ ડૉ.એફ.એફ.ખાન દ્વારા આમંત્રિત મહેમાનશ્રીનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ઈતિહાસ વિભાગના ડૉ.જે.એચ.સારડાએ વિષય અને વક્તાશ્રીનો પરિચય કરાવેલ. ત્યારબાદ વક્તાશ્રી દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પરમાણુ નિ:શસ્ત્રીકરણ દિવસ’ કે ‘હિરોશીમા દિવસ’ ઉજવવાની જરૂરિયાત અને તેના મહત્વ સાથે સાંપ્રત સમયમાં વૈશ્વિકકક્ષાએ પરમાણુ નિ:શસ્ત્રીકરણની વાસ્તવિકતા સાથે નવી જાણકારી આપેલ હતી. ત્યાર બાદ આ કૉલેજના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ અને સિનિયર પ્રોફેસરશ્રી પૂંજાણીસાહેબ દ્વારા પરમાણુ નિ:શસ્ત્રીકરણના મુદ્દાને માત્ર હિરોશીમા સુધી સીમિત ન રાખતા ભારતીય સંદર્ભ સાથે પણ આ મુદ્દાને જોડી આપેલ. આમંત્રિત વિદ્વાન વક્તાશ્રીને યાદગીરીરૂપે ડૉ.જે.એસ.ઉપાધ્યાય અધ્યક્ષશ્રી ગુજરાતી વિભાગ દ્વારા સ્મૃતિચિહ્નરૂપે પુસ્તક અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમની આભારવિધિ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.એફ.એફ.ખાન દ્વારા કરવામાં આવેલ હતી. બાદમાં સમૂહમાં રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર થયેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સપ્તધારાના અધ્યક્ષશ્રી ડૉ.નેહલબેન જાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન તેમજ ઓફલાઈન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ તમામ અધ્યાપકશ્રીઓ કૉલેજના ઓડીટોરિયમમાં સોશિઅલ ડીસ્ટન્સિંગ સાથે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબના માર્ગદર્શન તળે કરવામાં આવેલ.