Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ઉમાશંકર જન્મજયંતિ વંદના અહેવાલ (2021-2022)

20/07/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ દ્વારા.21/07/2021ના રોજ ગુજરાતી ભાષા અને સાહિત્યના ખ્યાતિ પ્રાપ્ત કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિની આગોતરી ઉજવણી તા.20/07/2021ને મંગળવારના રોજ સવારે 11:00 વાગ્યે ઓડીટોરિયમ ખાતે કરવામાં આવેલ. કાર્યક્રમમાં સહુ પ્રથમ ઓનલાઈન જોડાયેલ ઠાકર પાયલ એ.એ ઉમાશંકર જોશીના જીવન અને કવન વિશે વાત કરેલ. ત્યારબાદ ધાધલ ભગીરથ એમ.એ ‘ભોમિયા વિના...’ ગીત ગાઈને રજૂ કર્યું હતું. બાદમાં ડૉ.એન.વી.જાનીએ ‘માઈલોના માઈલો...’ કવિતા દ્વારા કવિને અંજલિ પાઠવેલ. હિન્દી વિભાગાધ્યક્ષ ડૉ.એચ.એમ.વ્યાસે પણ પ્રસંગોચિત વક્તવ્ય આપેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ જોડાયેલા. ઉમાશંકરના સાહિત્યનો સમગ્ર આલેખ આપીને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ પ્રભાવક શૈલીમાં કરેલ. કાર્યક્રમનું આયોજન ડૉ.એન.વી.જાનીએ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયના સુચન તથા માર્ગદર્શન તળે કરેલ.