Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગુરૂપૂર્ણિમાની ઉજવણી (2020-2021)

20/10/2020
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ગુરૂપૂર્ણિમાની ઉજવણીનો અહેવાલ (2020-2021) ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા. તા.05/07/2020ને રવિવારના રોજ સવારે 10:00 વાગ્યે ઓનલાઈન ગૂગલ મીટ એપમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની અધ્યક્ષતામાં પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ દ્વારા પ્રાર્થનાની રજૂ કરવામાં આવેલ. ત્યારબાદ કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબે ગુરૂપૂર્ણિમા નિમિત્તે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રા. એ.આર.પૂંજાણી, સંસ્કૃત વિભાગના વડા ડૉ.એચ.જી.અગ્રાવત, તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ બી.બી.કાછડિયા, હિન્દી વિભાગના વડા ડૉ.એચ.એમ.વ્યાસ તથા ગુજરાતી વિભાગના ડૉ.એન.વી.જાનીએ ગુરૂપૂર્ણિમાના અવસર પર ચિંતનાત્મક વિચારો રજૂ કર્યા હતા. આચાર્યશ્રીના માર્ગદર્શન તથા અધ્યાપકશ્રીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયે સુચારુરૂપે સંપન્ન કરેલ.