ગાંધીજીના નિર્વાણ
30/01/2016
Dharmendrasinhji College Rajkot Room No.14
તા:30/૦૧/૨૦૧૬ને શનિવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે રૂમ નં.-૧૪માં મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે ‘સાંપ્રત સમયમાં ગાંધીના વિચારોની ઉપયોગીતા' વિષય પર વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરીનુ આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરીના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રી અને તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.સી.બી.વાઢેરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે ડૉ. આર.એમ.પટેલ અને પ્રા.બી.બી.કાછડિયા અને જયદીપ એચ દેવમુરારીએ જહેમત ઉઠાવેલ. સ્પર્ધામાં કુલ 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો.સ્પર્ધામાં પ્રથમ ક્રમે વ્યાસ દેવેન્દ્ર વી.દ્વિતીય ક્રમે બારહટ વિદ્યાબા અને તૃતીય ક્રમે ઝાલા ધર્મેન્દ્રના નામ જાહેર કરવામાં આવેલ. વિજેતા થનાર વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી ડૉ.સી.બી.વાઢેર લિખિત પુસ્તક ભેટ આપવામાં આવેલું.