Bridge Course 2024-25
12/08/2024
Room No 14 Dharmendrasinhji Arts College-Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં તત્વજ્ઞાન વિભાગ દ્વારા વર્ષ 2024/25માં પ્રથમ વર્ષમાં એડમીશન લીધેલા વિદ્યાર્થીઓ માટે Bridge Course – 2024/25નું આયોજન કરવામાં આવેલું છે.જેમાં તત્વજ્ઞાન વિષયના (મુખ્ય) કુલ 15 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો. આ કોર્ષની શરૂઆત 05/08/2024 ના રોજ થયેલી હતી અને પુર્ણાહુતી 10/08/2024ના રોજ કરવામાં આવેલી હતી . તત્વજ્ઞાન વિભાગ દ્વારા વર્ષ 2024/25માં Introduction Of College , Introduction to philosophy, Intro to Logic, Intro to Yoga, Concept Of Shtitiprgya, Concept of Value, Concept of Soul, Concept of Religion ,Concept of western thinkers, Concept Of God વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. Bridge Course – 2024/25 ના અંતે વિદ્યાર્થીઓની મૌખિક ટેસ્ટ પણ લેવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓનો ખુબજ સારો પ્રતિસાદ મળેલો હતો. આ સમગ્ર Bridge Course – 2024/25નું સફળ આયોજન ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. ભાવેશ બી.કાછડિયા અને ડો.તૃપ્તિ ગજેરા દ્વારા કરવામાં આવેલું હતું.