Career Counseling Seminar, Marwadi University - Rajkot
10/03/2025
Auditorium, Dh. College
આજ રોજ Innovation Club અને Career Counseling Cell અંતર્ગત મારવાડી યુનિવર્સિટી રાજકોટ ના સહયોગ થી વિદ્યાર્થીઓના હિતમાં કરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો. જેમાં મારવાડી યુનિવર્સિટી રાજકોટ ના ઋષિ સર અને ફાલ્ગુની મેડમ દ્વારા વિદ્યાર્થીઓને હાલના સમયમાં ઉદ્યોગોની માંગ પ્રમાણે નો અભ્યાસ ક્રમ જે મારવાડી યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવ્યો છે તેની માહિતી પુરી પાડવામાં આવી. આ અભ્યાસક્રમ કરનાર ને 40,000 થી 50000 સુધી ના કેમ્પસ પ્લેસમેન્ટની ગેરંટી હોય છે જે વાત વક્તાશ્રી દ્વારા સ્પષ્ટ કરતા સેમિનાર પૂર્ણ કરવામાં આવ્યો. આ સેમિનારમાં કોલેજના Career Counseling Cell ના પ્રતિનિધિ અઘ્યાપકો ડો. ભાવેશ કાછડીયા, ડો. ધર્મેશ પરમાર, ડો. નીરવ ઠાકર, ડો. કેતન બુહા હાજર રહ્યા તેમજ સેમિનાર નું સંકલન કો - ઓર્ડીનેટર ડો. જગત તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.